Skip to content

Yojanainhindi.in

Information About New Government Scheme

Menu
  • Home
  • I Khedut Portal
  • E-Samaj Kalyan
  • sje.gujarat.gov.in
  • iORA Gujarat
  • Digital Gujarat Portal
  • Scheme
Menu
Pandit Dindayal Yojana Gujarat

Pandit Dindayal Yojana Gujarat 2022 | પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના

Posted on 26/01/202226/01/2022 by Naresh Kumar

In This Post :

  • શું છે Pandit Dindayal Yojana
    • Pandit Dindayal Upadhyay Awas Yojana New Update
    • પંડિત દીનદયાળ આવાસ યોજના માં સહાય કોણ મેળવી શકે ?
    • આવેદન માટે જરૂરી દસ્તાવેજો
    • Application Process (આવેદન પ્રક્રિયા)
    • Check Application Status

Pandit Dindayal Yojana :- નમસ્તે દોસ્તો ! ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્ય ના ગરીબ લોગો ના વિકાસ અને જીવન સુખમય બનાવવા માટે ઘણી બધી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ખેડૂત માટે ખેતી લક્ષી યોજનાઓ, મજૂરો માટે મજૂરી લક્ષી યોજનાઓ, નવા વ્યવસાયો શરૂ કરવા માટે લોન ને લગતી યોજનાઓ, અને ઘર વિહોણા લોકો ને આવાસ યોજનાઓ નો સમાવેશ થાય છે. અમારા દ્વારા આ આર્ટીકલ ના માધ્યમથી ગુજરાત સરકાર ની Pandit Dindayal Yojana Gujarat (પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના) ની સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે.

અમારા દ્વારા આ Pandit Dindayal Yojana ની જાણકારી આપતા આર્ટિકલમાં યોજનાની સંપૂર્ણ માહિતી, કોણ સહાય મેળવી શકે, કેટલી સહાય મળે, સહાય કેવી રીતે મેળવવી, સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો, આવેદન કરવાની પ્રક્રિયા , Pandit Dindayal Yojana Form, આવેદન ક્યાં જમા કરાવવું, આવેદન જમા કરાવ્યા પછી કેટલા હપ્તા માં સહાય આવશે, પ્રથમ હપ્તો કેટલા જો આવસે તેની સંપૂર્ણ જાણકારી નો સમાવેશ કરવામાં આવેલ છે.

શું છે Pandit Dindayal Yojana

ગુજરાત સરકાર દ્વારા ગુજરાત રાજ્યના ગરીબ વર્ગ ના ઘર વિહોણા લોકો માટે ઘણી બધી આવાસ યોજનાઓ જેવી કે પ્રધાનમંત્રી આવાસ યોજના, સરદાર આવાસ યોજના, ઇન્દિરા ગાંધી આવાસ યોજના, આંબેડકર આવાસ યોજનાઑ ને  અમલી કરવામાં આવેલ છે, આ બધી જ આવાસ યોજનાઓ અંતર્ગત સરકાર દ્વારા ઘર વિહોણા ગરીબ લોકો ને રહેવા માટે પ્લોટ તથા માલિકી ના પ્લોટ પર પાકકું મકાન બનાવવા માટે સહાય આપવામાં આવે છે. બસ આમ જ Pandit Dindayal Upadhyay Awas Yojana પણ એક આવાસ યોજના છે,

પંડિત દીનદયાળ આવાસ યોજના ને ગુજરાત નિયામક અને વિકાસ કલ્યાણ કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત અને  વિચરતી વિમુક્તિ વર્ગ માટે શરૂ કરવામાં આવી છે, Pandit Dindayal Yojana અંતર્ગત ગુજરાત રાજ્યના ઘર વિહોણા અને માલિકી નો પ્લોટ ધરાવતા ગરીબ બીપીએલ ધારકો ને પાકકું મકાન બનાવવા માટે 1,20,000 (એક લાખ વીસ હજાર) રૂપિયા ની સહાય આપવામાં આવશે.

Gujarat Makan Sahay Yojana Pandit Din Dayal Upadhyay Awas Yojana

Pandit Dindayal Upadhyay Awas Yojana New Update

સરકાર દ્વારા રાજ્યના ગરીબ અને ઘરવિહોણા લોકો ને આવાસ બનાવવા માટે સહાય આપવા માટે શરૂ કરવામાં આવેલી પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના અંતર્ગત શરૂઆત માં સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સહ આવેદન (અરજી) ઓફલાઇન કચેરી માં જમા કરાવવાની થતી હતી, જે નિયમ ને બદલી ને હવે આ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે જરૂરી દસ્તાવેજો સહ આવેદન(અરજી) પ્રક્રિયા ને ઓનલાઈન કરી દેવામાં આવી છે. હવે થી Pandit Dindayal Yojana અંતર્ગત સહાય મેળવવા ઇચ્છુક આવેદકને કચેરી ઑ ના ધક્કા ખાવાની જરૂર નહીં પડે, તે નીચે જણાવેલા સ્ટેપ ને અનુસરી ને આવેદન ઓનલાઈન કરી શકે છે.

આ પણ વાંચો
  • પ્રધાન મંત્રી આવાસ યોજના 2022 નું નવું લિસ્ટ
  • સરદાર આવાસ યોજનાની સંપૂર્ણ માહિતી
  • મફત સૌચાલય યોજનાની સંપૂર્ણ માહિતી
  • મફત પ્લોટ યોજના

પંડિત દીનદયાળ આવાસ યોજના માં સહાય કોણ મેળવી શકે ?

પંડિત દીનદયાળ આવાસ યોજના ને ગુજરાત નિયામક અને વિકાસ કલ્યાણ કચેરી ગાંધીનગર દ્વારા ગુજરાત રાજ્યના સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત અને  વિચરતી વિમુક્તિ વર્ગ ના ઘર વિહોણા અને માલિકી નો પ્લોટ ધરાવતા ગરીબ બીપીએલ ધારકો માટે શરૂ કરવામાં આવી છે, સદર વર્ગોના લોકો ને સહાય મેળવવા માટે સરકાર દ્વારા અમુક માપદંડો ( Pandit Dindayal Awas Yojana Eligibility ) નક્કી કરવામાં આવેલ છે, જો આવેદક સરકાર દ્વારા નક્કી કરેલ માપદંડો ને અનુસરતો હસે તો જ આ આવાસ યોજના અંતર્ગત સહાય મેળવવા માટે પાત્ર ગણાશે. Pandit Dindayal Awas Yojana Eligibility Criteria નીચે મુજબ છે.

  • આવેદક ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ.
  • આવેદક સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ , આર્થિક રીતે પછાત અને  વિચરતી વિમુક્તિ વર્ગ પૈકી નો હોવો જોઈએ.
  • આવેદક પાસે માલિકી નો પ્લોટ હોવો જોઈએ.
  • આવેદક ની ઉમર 18 વર્ષ થી વધુ ની હોવી જોઈએ.
  • આવેદક મતદાન કરતો હોવો જોઈએ.
  • શહેરી વિસ્તાર ના આવેદક ના પરિવાર ની વાર્ષિક આવક 1,50,000 થી વધુ ન હોવી જોઈએ.
  • ગ્રામ્ય વિસ્તાર ના આવેદક ના પરિવાર ની વાર્ષિક આવક 1,20,000 થી વધુ ન હોવી જોઈએ.
  • આવેદક ના નામે કે તેના પરિવાર ના નામે ભારતભર માં ક્યાય પાકકું મકાન ન હોવું જોઈએ.
  • અરજદાર પાસે પોતાની માલિકી નો પ્લોટ હોવો જોઈએ. 
  • આવેદક બીપીએલ કાર્ડ ધારક હોવો જોઈએ.

આવેદન માટે જરૂરી દસ્તાવેજો

Pandit Dindayal Awas Yojana અંતર્ગત સહાય મેળવવા માટે આવેદન કરતાં પહેલા આવેદક ને એ જાણવું ખૂબ જ જરૂરી છે જે તે ઉપર મુજબ ના માપદંડો ને અનુસરે ને આવેદન માટે જરૂરી દસ્તાવેજો તેની પાસે છે કે નહી ? જો આવેદન પાસે પૂરા દસ્તાવેજો નહીં હોય કે માપદંડો ને અનુસરતો નહીં નહીં અને આવેદન કરસે તો તેની અરજી ને ધ્યાને લેવામાં નહીં આવે અને રદ કરી દેવામાં આવશે. Pandit Dindayal Yojana Application માટે જરૂરી દસ્તાવેજો નીચે મુજબ છે.

  • અરજદારની જાતિ/પેટા જાતિનો દાખલો (આર્થિક પછાતવર્ગના અરજદારે જાતિનો દાખલો જોડવાની જરૂર નથી.), અરજદારનું લીવીંગ સર્ટીફીકેટ (શિક્ષિત હોય તો)
  • આવકનો દાખલો
  • અરજદારનો રહેઠાણનો પુરાવો (આધાર કાર્ડ/ વીજળી બિલ/ લાઇસન્સ/ ભાડાકરાર/ ચુંટણી કાર્ડ/ રેશનકાર્ડ પૈકી કોઈપણ એક)
  • કોઈ ગરીબી આવાસ યોજના હેઠળ જમીન/તૈયાર મકાન મળેલ હોય તે ફાળવણીના હુકમની, એલોટમેન્ટ લેટરની પ્રમાણિત નકલ.
  • જમીન માલિકીનું આધાર/દસ્તાવેજ/આકારણી પત્રક/હક પત્રક/સનદ પત્રક ( જે લાગુ પડતુ હોય તે )
  • અરજદારને મકાન સહાય મંજુર કરવા માટે ગ્રામપંચાયતના તલાટી ક્મ મંત્રી / સિટી તલાટી ક્મ મંત્રી / સર્કલ ઇન્સ્પેક્ટરે આપવાનું પ્રમાણપત્ર
  • મકાન બાંધકામ કરવાની રજા ચિઠ્ઠી
  • BPLનો દાખલો
  • પતિના મરણ નો દાખલો (જો વિધવા હોય તો)
  • જે જમીન ઉપર મકાન બાંધવાનું છે, તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ (તલાટી-કમ-મંત્રિશ્રિ)ની સહીવાળી.
  • પાસબુક / કેન્સલ ચેક
  • અરજદારના ફોટો

Application Process (આવેદન પ્રક્રિયા)

જો કોઈ આવેદક પાસે ઉપર લખેલા આવેદન માટે જરૂરી દસ્તાવેજો છે અને નક્કી કરવામાં આવેલા માપદંડો ને અનુસરે છે અને Pandit Dindayal Awaas Yojana અંતર્ગત આવાસ બનાવવા માટે સરકાર તરફ થી એક લાખ અને વીસ હજાર (1,20,000) રૂપિયા ની સહાય મેળવવા માટે Online Apply કરવા ઇચ્છુક છે તો તે નીચે મુજબ ના સ્ટેપ ને અનુસરી ને તથા વધુ સમજૂતી માટે એક વિડીયો પણ આપેલ છે જેને અનુસરી ને આવેદન કરી શકો છો.

  • Pandit Dindayal Awaas Yojana ની આધિકારીક વેબસાઇટ (https://esamajkalyan.gujarat.gov.in/) પર જાઓ.
  • જમણી બાજુમાં દેખાતા New User? Please Register Here! વિકલ્પ પર ક્લિક કરો.
  • નામ (આધાર કાર્ડ મુજબ), જાતી, જન્મ તારીખ, આધાર નંબર, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, નાખો.
  • પાસવર્ડ પસંદ કરો.
  • કેપચા કોડ નાખી Register વિકલ્પ પર ક્લિક કરો.
  • રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર એક 6 અંકો નો OTP મેસેજ આવશે તે નાખી ને Register કરી દો.
  • રજીસ્ટર કરેલ મોબાઈલ નંબર પર User ID આવશે.
  • હોમ પેજ પર પાછા આવી જાઓ.
  • જમણી બાજુમાં દેખાતા Citizen Login વિકલ્પ માં User ID અને Password તથા કેપ્ચા કોડ નાખીને Login વિકલ્પ પર ક્લિક કરી ને Login કરો દો.
  • માંગવામાં આવેલી માહિતી ભરી ને Update Profile વિકલ્પ પર ક્લિક કરી ને માહિતી અપડેટ કરી દો.
  • Pandit Dindayal Yojana Application Process
  • “પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” વિકલ્પ પર ક્લિક કરો.
  • “પંડિત દિન દયાળ ઉપાધ્યાય આવાસ યોજના” પ્રથમ હપ્તા માટે અરજી” વિકલ્પ પર ક્લિક કરો.
  • માંગવામાં આવેલી તમામ માહિતી ભરી દો.
  • તમામ માહિતી ભરી દીધા બાદ Next બટન પર ક્લિક કરો.
  • અરજી ની પ્રિન્ટ કાઢી લો અને સહી કરી દો.
  • દસ્તાવેજો અને સહી કરેલ અરજી ફોર્મ અપલોડ કરી દો.
  • સબમિટ કરી દો.
  • આવેદન સબમિટ કરતાં ની સાથે એક Application નંબર જનરેટ થસે તેને નોધી લો.
  • આવેદન ની પ્રિન્ટ કાઢી લો.

Check Application Status

  • Pandit Dindayal Awaas Yojana ની આધિકારીક વેબસાઇટ (https://esamajkalyan.gujarat.gov.in/) પર જાઓ.
  • હોમપેજ પર દેખાતા “Your Application Status” વિકલ્પ પર ક્લિક કરો.
  • અરજી નંબર અને જન્મ તારીખ નાખી ને “સ્થિતિ જુવો” વિકલ્પ પર ક્લિક કરો.
  • આવેદક ની અરજી ની સ્થિતિ ની વિગત સામે આવી જસે.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recent Posts

  • New BPL List 2022 | New Ration Card List Dowload PDF 2022
  • Ikhedut Portal Mobile Yojana 2022 | મોબાઈલ સહાય યોજના ગુજરાત |
  • Xweather : World’s Weather Information, Download Weather Forecast App And Other Information
  • Coolmovieshd : Bollywood, Hollywood, English, Tamil Full Movies Download Free
  • PM Kisan Yojana 2022 નું નવું લિસ્ટ જાહેર | લિસ્ટ માં તમારું નામ ચેક કરો.

Categories

  • Digital Gujarat Portal
  • E-Samaj Kalyan
  • Film Download Website
  • Gujarat
  • I Khedut Portal
  • iORA Gujarat
  • Loan Information
  • Other
  • PDF Store
  • Rajsthan
  • Scheme
  • sje.gujarat.gov.in
  • Uncategorized
  • Utar Pradesh

Pages

  • About Us
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy
© 2022 Yojanainhindi.in | Powered by Superbs Personal Blog theme